મહાનુભાવોની જન્મ શતાબ્દિ ઉજવણી અંતર્ગત નીચે મુજબની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ર્ડો.બાબાસાહેબ આંબેડકરના અક્ષરદેશના ૧ થી ૪ર ગ્રંથોના પ્રકાશન માટે ભારત સરકાર તરફથી ૧૦૦ ટકા સહાય મળે છે. જે પૈકી ૧ થી રર ગ્રંથોનું પ્રકાશન પુર્ણ થયેલ છે. ભગવાન મહાવીરની ર૬૦૦મી જન્મ કલ્યાણ ઉજવણીના ભાગરૂપે પ્રતિવર્ષ જીવદયા, અહિંસાની સ્થાપના, સામાજીક, આર્થિક અથવા રાજકીય પરિવર્તનના કામો માટે જીવદયા એવોર્ડ વ્યકિત અને સંસ્થાને આપવામાં આવે છે. સ્ત્રોત:રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ